આયુષ્માન ભારત યોજનામાં તમારું કાર્ડ બની શકે કે નહીં, જાણો યોજના વિશે

આયુષ્માન ભારત યોજના PMAY 2022

PMAY : જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.

આયુષ્માન ભારત યોજના PMAY 2022

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની આ યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ પરિવારોને લાભ મળશે. આ માટે તમારે આયુષ્માન ભારતનું કાર્ડ બનાવવું પડશે, જેના માટે કેટલીક જરૂરી લાયકાત નક્કી કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા લોકો આ કાર્ડ બનાવી શકે છે અને હોસ્પિટલોમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.

જો તમે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ મેળવવા માંગતા હો તો આ માટે તમારે પહેલા તમારી પાત્રતા તપાસવી પડશે. આ કામ ખૂબ જ સરળ છે અને ઘરે બેસીને ઓનલાઈન કરી શકાય છે. તમારા મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરીને, તમે જાણી શકો છો કે તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવવામાં આવેલ છે કે નહીં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે તમારે કોઇ અરજી કરવાની જરૂર નથી.

આયુષ્માન ભારત યોજના PMAY 2022

જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.

આ 4 સરળ સ્ટેપથી જાણો

  1. સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ

2.અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.

  1. ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.

4.આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.

જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળશે. PMAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આયુષ્માન ભારત યોજના PMAY 2022

દેશના લોકોને આરોગ્ય સુવિધા (Health Benefits) અને સારવાર (Treatment) મળી રહે તે માટે સપ્ટેમ્બર, 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Pm Narendra Modi) આયુષ્માન કાર્ડ (Ayushman Card) લોન્ચ કર્યુ હતું. આ યોજના (Ayushman Bharat Scheme) અંતર્ગત 10.74 કરોડથી વધુ ગરીબ પરીવારોને 5 લાખ રૂપિયા પ્રતિ પરીવાર વાર્ષિક હેલ્થ કવર (Health Cover) મળે છે. તમને અહીં સવાલ થશે કે આ યોજના અંતર્ગત કઇ-કઇ બીમારીઓને કવર કરવામાં આવી રહી છે? આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવેલી કેટલીક બાબતો(Benefits of Ayushman Card) નીચે મુજબ છે:

*આ કાર્ડ હેઠળ તબીબી તપાસ, સારવાર અને કન્સલ્ટેશન

*પ્રી-હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ અને 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થયા પછીની ફોલો-અપ સારવાર

*ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓ અને લેબ ટેસ્ટ ચાર્જ

*દવાનો ખર્ચ અને મેડિકલ ખર્ચને આવરી લેવામાં આવે છે.

*ગંભીર અને સામાન્ય સારવાર સેવાઓ

અન્ય બીમારીઓની સાથે આયુષ્માન ભારત હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમમાં કોવિડ-19 પણ કવર થાય છે. NHAની વેબસાઇટ અનુસાર, સ્કીમમાં સામેલ કોઇ પણ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ અને સારવાર પણ મફતમાં કરી શકાય છે.

આ યોજના દેશના નાગરિકોના લાભાર્થે હોવા છતા અમુક લોકો ખોટા એકાઉન્ટ બનાવીને અન્ય લોકોના લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. જો તમારે પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, કોઈ અજાણ્યા વ્યક્તિએ તમારા નામે કાર્ડ બનાવ્યું હોય તો તમારે તરત જ આયુષ્માન કાર્ડ સંબંધિત ફરિયાદ નોંધાવવી જોઈએ.

તમે ટોલ ફ્રી નંબર 180018004444 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ નોંધાવવા માટે તમારી પાસે કોઈપણ પ્રમાણિત દસ્તાવેજ હોવો આવશ્યક છે.

કઇ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો કાર્ડ?

  • https://pmjay.gov.in વેબસાઇટ પર જાઓ.
  • તમારું ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો
  • હવે એક નવું પેજ ખુલશે. આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારા અંગૂઠાની છાપ ચકાસો.
  • Approved Beneficiary પર ક્લિક કરો.
  • હવે તમને માન્ય ગોલ્ડન કાર્ડની યાદી દેખાશે.
  • આ યાદીમાં તમારું નામ શોધો અને કન્ફર્મ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમે CSC વોલેટ જોશો, તેમાં તમારો પાસવર્ડ દાખલ કરો.
  • હવે પિન દાખલ કરો અને હોમ પેજ પર આવો.
  • ઉમેદવારના નામ પર ડાઉનલોડ કાર્ડનો વિકલ્પ દેખાશે.

અહીંથી તમે તમારું આયુષ્માન કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે (આધારકાર્ડ આધારિત મોબાઈલ OTP દ્વારા)

ક્લિક કરો

તમારું નામ PMJAY કાર્ડની યાદીમાં છે કે નહિ તે જોવા માટે (મોબાઈલ આધારિત OTP દ્વારા)

અહીં ક્લિક કરો

ads